
કેમ સખી ચીંધવો પવનને રે
હું તો ખાલી શકુંતલાની આંગળી
ઝંઝાના સૂસવાટા પાંખમાં ભરીને
ઊડું આખ્ખું ગગન મારી ઇચ્છા
વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં
ખરતા પરભાતિયાનાં પીંછાં
ઉરમાં તે માય નહીં ઉડતો ઉમંગ
મને આવીને કોઇ ગયું સાંભળી
કેમ સખી ચીંધવો પવનને રે
હું તો ખાલી શકુંતલાની આંગળી
ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઈ,
એવું તો મંન ભરી ગાતો, કંઈ એવું તો વંન ભરી ગાતો…
જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર,
ક્યાંક કાગડો થઇ ન જાય રાતો!
આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી,
સૂર થઇ ઊડી જાય વાંસળી
કેમ સખી ચીંધવો પવનને રે
હું તો ખાલી શકુંતલાની આંગળી
~ અનિલ જોશી

વાહ સરસ..
કવિ શ્રી ને જન્મ દિવસની સુકામનાઓ.
લાંબી પંક્તિ એ અ.જો. ના ગીતની વિશેષતા છે.
જન્મદિવસ ની શુભ કામના
હું માનું છું, મૂળ ગીતમાં “ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઈ, એવું તો ‘મંન’ ભરી ગાતો, કંઈ એવું તો ‘વંન’ ભરી ગાતો…”, એવું છે…
આભારી છું.