આશિત હૈદરાબાદી ~ કેટલા ખામોશ છે ? * Aashit Haidarabadi

કેટલા ખામોશ છે ? કા૨ણ હશે;
દૂઝતા હૈયે કોઈના વ્રણ હશે !

આંખ ઊંચી પણ નથી થાતી હવે,
ઊંઘનું કે ઘેનનું કારણ હશે!

રંગ ચહેરા પર ફરી આવી ગયો,
એક ક્ષણની એ ખુશી કારણ હશે !

એમ પાલવશે નહીં હારી ગયે,
ઝેરનું પણ કંઈક તો મારણ હશે !

કેમ સાકી જામ માપીને ભરે ?
આ સુરાલયનું કોઈ ધો૨ણ હશે ?

આમ બદનામી કરો ના દર્દની,
જિંદગી ખુદ મોતનું કારણ હશે !

એ જ ‘આશિત’નું હશે ઘ૨ જાણજો,
કંટકોનાં બારણે તોરણ હશે !

~ આશિત હૈદરાબાદી (25.3.1937)

મૂળ નામ સુરેન્દ્ર કોટક.

ગઝલસંગ્રહ : ‘આવેગ’

સંપાદન : ‘ગઝલની આસપાસ’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “આશિત હૈદરાબાદી ~ કેટલા ખામોશ છે ? * Aashit Haidarabadi”

  1. એ જ ‘આશિત’નું હશે ઘ૨ જાણજો,
    કંટકોનાં બારણે તોરણ હશે !

    વાહ, મક્તા. કવિ શ્રી આશિત ને સ્મૃતિ વંદન.

Scroll to Top