ઉમાશંકર જોશી ~ ગાંધીને પગલે Umashankar Joshi

ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.અશોકધર્મલિપિથી ઉર પાવન;જિનવર-શિષ્યોની મનભાવન.સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર સરદારે,મૃદુલ હૃદય તું, તોયે નિર્ભય સિંહડણક ઉદગારે.મસ્જિદ મંદિર વાવ તોરણેલચે રમ્યતા તવ વને-રણે.બિરુદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે, પાળીશ ને ગુજરાત ?ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?  – ઉમાશંકર જોશી આજે ત્રીસમી જાન્યુઆરી, ગાંધીનિર્વાણદિને કવિ ઉમાશંકર જોશીએ પૂછેલા આ સવાલનો જવાબ ન મળે તોયે ફરી ફરી આ શબ્દો આંખ સામે ફરતા રહે એ જરૂરી લાગે.  30.1.21 અમુલ વ્યાસ 13-04-2021 અદભૂત અને ખૂબ જ સુંદર રચના ઓ ની રજુઆત. ખરેખર પૂજય ગાંધી બાપૂ ના સ્મરણ ને ઉજાગર કરી દીધા.ખૂબ ધન્યવાદ??? Purushottam Mevada, ,Saaj 13-04-2021 વંદનિય ઉ.જો. ના પ્રશ્નને કોઈ જવાબ મળતો નથી.