‘કાવ્યવિશ્વ.કોમ’ આયોજિત લતા હિરાણીના સાત પુસ્તકોના વિમોચનનો કાર્યક્રમ
‘કાવ્યવિશ્વ.કોમ’ આયોજિત લતા હિરાણીના સાત પુસ્તકોના વિમોચનનો કાર્યક્રમ તા. 28 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાત વિશ્વકોશ ભવનમાં યોજાઇ ગયો.
ગુર્જર પ્રકાશન પ્રકાશિત
1. ઊગ્યું રે અજવાળું (ગીત સંગ્રહ) 2. સાવ કોરો કાગળ (અછાંદસ કાવ્યસંગ્રહ) 3. તાકધિનાધીન (બાળ-કિશોર નાટક) 4. વ્હાલનું વાવેતર (બાળઉછેર) 5. ભાવધારા (ચિંતનાત્મક લેખો)
નેશનલ બુક ટ્રસ્ટ પ્રકાશિત
6. કેવો ગડબડ ગોટાળો (અનુવાદ) 7. ઉઠિયાની આંખ (અનુવાદ).
કાર્યક્રમની શરૂઆત શ્રી નિસર્ગ હિરાણીના સ્વાગત પ્રવચનથી થઈ. ત્યાર બાર પદ્મશ્રી કુમારપાળ દેસાઇ, પદ્મશ્રી પ્રવીણ દરજી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા, વિખ્યાત કવિ શ્રી વિનોદ જોશી, જાણીતા ગાયિકા શ્રી ફાલ્ગુની શશાંક અને શ્રી મનુભાઈ શાહના હસ્તે આ પુસ્તકોનું વિમોચન થયું.
શ્રી કુમારપાળ દેસાઇએ ‘ભાવધારા’ પુસ્તક ઉપરાંત ‘કાવ્યવિશ્વ’ વેબસાઇટ વિશે વાત કરતાં કહ્યું કે 2020માં શરુ થયેલી આ સાઇટ પર અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ કવિતાઓ પોસ્ટ થઈ છે. આજ સુધીમાં લગભગ દોઢ લાખથી વધુ મુલાકાતીઓએ સાઈટવિઝિટ કરી છે અને આ સાઇટના સાડા ત્રણ લાખથી વધુ વ્યુઅર્સ છે.
શ્રી પ્રવીણ દરજીએ અછાંદસ કાવ્યસંગ્રહ ‘સાવ કોરો કાગળ’, શ્રી ભાગ્યેશ જહાએ બાળ-કિશોર નાટક ‘તાકધિનાધીન’ વિશે, શ્રી વિનોદ જોશીએ ગીતસંગ્રહ ‘ઊગ્યું રે અજવાળું’ વિશે તથા લતાબહેને પોતાના બાળઉછેરના પુસ્તક ‘વ્હાલનું વાવેતર’, પોતાની સર્જનયાત્રા અને દરેક પ્રત્યે ઋણસ્વીકાર વ્યક્ત કર્યો. ત્યારબાદ શ્રી પાર્થ હિરાણીએ પોતાની માતાની સર્જન અને જીવનયાત્રા વિશે ઓડિયો વિઝ્યુયલ માધ્યમથી વાત કરી. ત્યારબાદ ખૂબ જાણીતા ગાયિકા શ્રી ફાલ્ગુની શશાંકે લતા હિરાણીના ગીત સંગ્રહ ‘ઊગ્યું રે અજવાળું’ના પાંચ ગીતોની પ્રસ્તુતિ કરી.
કાર્યક્રમમાં હાજરી આપનાર મહાનુભાવોમાં ગુજરાતની ખ્યાતનામ ગાયક-સંગીતકાર બેલડી શ્રી સૌમિલ મુનશી-શ્રી આરતી મુનશી, ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વ પ્રમુખ શ્રી પ્રકાશ ન. શાહ, ‘પરબ’ના સંપાદક શ્રી કિરીટ દૂધાત, શ્રી પ્રીતિ સેનગુપ્તા, ડો. પ્રદીપ ખાંડવાળા, શ્રી પ્રફુલ્લ રાવળ, શ્રી નિસર્ગ આહીર, શ્રી ભીખેશ ભટ્ટ, શ્રી ભગવાનદાસ, તથા જાણીતા સાહિત્યકારો શ્રી ગિરિમા ઘારેખાન, શ્રી દક્ષા પટેલ, શ્રી પ્રજ્ઞા પટેલ, શ્રી તેજસ દવે, શ્રી પ્રતાપસિંહ ડાભી, શ્રી અનીતા તન્ના, શ્રી મનીષ પાઠક, શ્રી જયંત ડાંગોદરા, શ્રી કલ્પના રઘુ, શ્રી હરીશ ખત્રી, શ્રી ગોપાલી બુચ, શ્રી રેણુકા દવે, શ્રી ભાર્ગવી પંડ્યા તથા અનેક સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓએ હાજરી આપી.
ભોજન બાદ કાર્યક્રમ સમાપ્ત થયો.
કાર્યક્રમની નોંધ લેવા બદલ ‘દિવ્ય ભાસ્કર’, ‘જયહિન્દ’, ‘ગુજરાત વૈભવ’, ‘અકિલા’ તથા ‘ગુજરાત ટુડે’ દૈનિકોની હું આભારી છું.






આનંદ, આવકાર, અભિનંદન. 🌹
આભાર કિશોરભાઈ
અભિનંદન અભિનંદન. ઉમળકાભર સ્વાગત છે.
ખૂબ અભિનંદન
આભાર કૌશલભાઈ
આભાર મીનલબેન
રાજીપો…
અભિનંદન.
આભાર ઉમેશભાઈ
ખુબ ખુબ અભિનંદન સ્વાગત
આભાર છબીલભાઈ
વાહ, આટલો અદ્ભૂત અનેરા પ્રોગ્રામ માં હાજર રહી માણવાની તક ગુમાવવા બદલ અફસોસ. આદરણીય લતાજી ની અવિરત સાહિત્યિક મહેનતનું સરસ ફળ મળ્યું છે. હાર્દિક શુભેચ્છાઓ, અઢળક અભિનંદન.
આભાર અને વંદન મેવાડાજી.
આભારી છું મેવાડાજી, છબીલભાઈ, ઉમેશભાઇ, કૌશલભાઈ, મીનલબેન, કિશોરભાઈ અને ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રો.
વાહહહહહ… ખૂબ સરસ
અભિનંદન 👏👏
આભાર શ્વેતાજી