ગીતા પરીખ ~ હઠે તિમિરના

હઠે તિમિરના થરો લઘુક જ્યોતિરશ્મિ થકી,
ધીમી અનિલ-લ્હેરખી પણ ભરે
અહો જડ સૂકેલ પર્ણ-ઢગમાં કશી ચેતના !
અને કથવું શું ?
જરીક ચમચી જ છાશ થકી દૂધ થાતું દધિ;
કરી શકું ન શું
પ્રયાસ મહીં માહરા તવ મળે અમીદૃષ્ટિ જો ?

~ ગીતા પરીખ

પૃથ્વી છંદમાં લખાયેલું આ લઘુકાવ્ય આશાની સરવાણી વહાવે છે……

કવિના જન્મદિને સ્મૃતિવંદના સહ…

OP 7.4.22

સાજ મેવાડા

07-04-2022

વાહ, ખૂબ સરસ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top