ન્હાનાલાલ દલપતરામ કવિ * Nhanalal

🥀 🥀    

અપદ્યાગદ્ય (ડોલનશૈલી)ના જનક ન્હાનાલાલ દલપતરામ કવિ ગુજરાતી ભાષાના વિખ્યાત સાહિત્યકાર છે. કવિ ન્હાનાલાલના પિતા દલપતરામ નર્મદ યુગના મહાન કવિ હતા.

એમણે કાવ્યો, બાળકાવ્યો, પ્રસંગકાવ્યો, કથાકાવ્યો, મહાકાવ્યો, ભજનો, નાટક, વાર્તા, નવલકથા, ચરિત્રલેખન અને અનુવાદમાં પણ કામ કર્યું છે.  

સાહિત્યસર્જક તરીકે કવિનું પ્રધાન અને ઉત્તમ પ્રદાન ઉર્મિકાવ્યો છે. 

કવિની કવિતામાં બાળકાવ્યો, હાલરડાં, લગ્નગીતો, રાસ-ગરબા, ભજનો, અર્ધ્ય-અંજલિ-કાવ્યો, ગોપકાવ્ય, કરુણપ્રશસ્તિ, પ્રાસંગિક કાવ્યો, કથાગીતો-એમ પ્રકારદૃષ્ટિએ સારું વૈવિધ્ય એમાં છે. આરંભકાળમાં આત્મલક્ષી બનતી પણ થોડા જ સમયમાં પરલક્ષિતા તરફ ગતિ કરતી આ કવિની કવિતાના મુખ્ય કવનવિષય પ્રકૃતિસૌંદર્ય, પ્રણય અને પ્રભુ છે. અક્ષરમેળ-માત્રામેળ છંદો, પરંપરાપ્રાપ્ત લયમેળ રચનાના ઢાળો અને ગઝલ-કવ્વાલીના યથેચ્છ વિનિયોગ સાથે પદ્યમુક્ત ડોલનશૈલી પણ એનું વાહન બનેલ છે.

16 માર્ચ ૧૯૭૮ના દિવસે ભારતીય ટપાલ ખાતા દ્વારા એમના નામની ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

કાવ્યસંગ્રહો

કેટલાંક કાવ્યો – ભા. ૧-૨-૩ – 1903, 1908, 1935

ન્હાના ન્હાના રાસ – ભા.૧-૨-૩ – 1910, 1928, 1937

ઇન્દુકુમાર (સામાજીક નાટકકાવ્ય) 1909, 1927, 1932

વસંતોત્સવ (પ્રસંગકાવ્ય) 1898

કુરુક્ષેત્ર (મહાભારતના વિષયોને લઈને ડોલનશૈલીમાં લખાયેલું મહાકાવ્ય) 1926 થી 1940

હરિસંહિતા (મહાકાવ્ય) 1959, 1960  

ગીતમંજરી – ૧-૨ – 1928, 1956

રાજસૂત્રોની કાવ્યત્રિપુટી 1903, 1905, 1911

ચિત્રદર્શનો 1921

પ્રેમભક્તિ ભજનાવલિ 1924

દામ્પત્યસ્તોત્રો 1931

બાળકાવ્યો 1931

મહેરામણનાં મોતી 1939

સોહાગણ 1940

પાનેતર 1941

પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુઓ 1943

*****

કવિ ન્હાનાલાલ

જન્મ : 16 માર્ચ 1877 અમદાવાદ

અવસાન : 9 જાન્યુ. 1946 અમદાવાદ

પિતા : દલપતરામ

*****

સૌજન્ય : વિકિસ્રોત (ટૂંકાવીને)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “ન્હાનાલાલ દલપતરામ કવિ * Nhanalal”

  1. કવિશ્નીને શ્રદ્ધાસુમન સાથે શતશત નમન.

  2. જીવન કવનનો સરસ પરિચય આપ્યો.કવિશ્રીને પ્રણામ.

Scroll to Top