પથિક પરમાર ~ ભીંતના શબ્દો

ભીંતના શબ્દો ~ પથિક પરમાર

ભીંતના શબ્દો બધા સાચા પડ્યા

મૌનના અર્થો જ ચોગમ આથડ્યા.

‘પાંખ આપી’ – ને કહે ‘ઊડવું નહીં’

રે ! નિયતિએ કેવા ધબ્બા થાબડ્યા.

હું એ મહેન્દી છું ન જેમાં રંગ છે,

ક્યાંય ના સંદર્ભ મુજને સાંપડ્યા

‘ખેંચ’ કૈં વૈષમ્યની ઉત્કૃષ્ટ ને –

દરબદર વૈફલ્ય-વન ચશ્મે ચડ્યા.

ઝાંઝવાં મેં કેટલાં પાળ્યાં હતાં !

તોય ના સામીપ્ય આશ્લેષી જડ્યા.

‘હીન’ના પાસાં હતાં ઊંધા ‘પથિક’

ક્રોસ પર ચૈતન્ય વક્રે ધાબડ્યા.

પથિક પરમાર

વેદના, વિદ્રોહ ને વૈફલ્યની વાણી ! પ્રથમ શેરનો કટાક્ષ સ્પર્શી જાય છે.

OP 17.6.22

***

આભાર

21-06-2022

આભાર છબીલભાઈ, વારિજભાઇ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર

Varij Luhar

18-06-2022

કવિશ્રી પથિક પરમારની સુંદર ગઝલ માણવા મળી

છબીલભાઈ ત્રિવેદી

17-06-2022

વાહ ખુબ સરસ રચના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top