આવનારો શ્વાસ ક્યાં લઈ જાય, કૈં નક્કી નહીં,
મૃત્યુ ક્યારે કયા બહાને થાય, કૈં નક્કી નહીં!
ભાવ સાક્ષીનો લઈ, જોતા રહીએ જે થાય તે,
કિન્તુ, એવું કેટલી પળ થાય, કૈં નક્કી નહીં!
ખૂલવાની જેમ થાવું બંધ- ઘટના રોજની-
ભીંત, ક્યારે બારણું થઈ જાય, કૈં નક્કી નહીં!
આપણે વ્યાખ્યા કરીને ખુશ રહીએ એટલું,
શું જડે, ને શું અહીં ખોવાય, કૈં નક્કી નહીં!
મેઘધનુષો આભમાંથી વીણવાના ખેલમાં-
હાથની હિનાનું શું થાય, કૈં નક્કી નહીં!
લઈ ફરે છે ધૂપદાની, કૈંક છાયાઓ અહીં,
ધૂપ એમાં થાય કે ના થાય, કૈં નક્કી નહીં!
~ પ્રદીપ રાવલ ‘સુમિરન’
જે નક્કી જ છે એની કવિતા ! વાહ કવિ !

Pingback: 🍀1 જુન અંક 3-1177🍀 - Kavyavishva.com
વાહ ખુબ સાચી વાત કાંઈ નક્કી નહી
સકળ શે’ર મર્મજ્ઞ છે.
ઉત્કૃષ્ટ ગઝલ
કશું નક્કી નથી એ વાત સરસ રીતે ગઝલમાં અભિવ્યક્ત કરી.
સરસ ગઝલ છે. દરેક શેર ગમી જાય તેવો.