અમે મોર હોઈએ તો ~ પ્રબોધ જોશી
અમે મોર હોઈએ તો –
અમારાં ખરેલાં આંસુ વીણજો
વાદળ સમા તરતા પ્રસંગોને
અમે બોલાવશું –
તમે વરસજો.
આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ
તમે આવી ચડજો.
~ પ્રબોધ જોશી
આટલા ઓછા શબ્દોમાંય ભાવનો મહાસાગર હિલોળા ખાય છે!
કવિ પ્રબોધ જોશી. ‘ઉદ્દેશ’ સામયિકના તંત્રી. માત્ર 59 વર્ષની નાની ઉંમરે એમનું અવસાન થયું.
કવિના કાવ્યસંગ્રહો : 1. ‘પાછો ઉઘાડ નીકળ્યો’ 2. ‘મારે કોઈ નામ આપવું બાકી છે’
OP 7.10.22
