🥀 🥀
*એ લોકો*
એ લોકો પહેલાં
કાપડના તાકા ભરી રાખે છે
પછી જ્યારે માણસ ફાટી જાય છે ત્યારે
વાર વાર વેચે છે.
એ લોકો પહેલાં
ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે
પછી જ્યારે માણસ સડી જાય ત્યારે
કિલો કિલો વેચે છે.
એ લોકો પહેલાં
ઔષધની શીશીઓ સંઘરી રાખે છે
અને માણસ જ્યારે ફૂટી જાય ત્યારે
થોડી થોડી રેડે છે.
તે તે લોકો છે જ નહીં
એ તો છે નોટોને ખાઈ ઊચરતી ઊધઈ
બીજું એને ભાવતું જ નથી
મારે કવિ થવું જ નથી
ભારે અસર કરનારી
જંતુનાશક દવા થાઉં તો બસ !
~ પ્રિયકાંત મણિયાર (24.1.1927 – 25.6.1976)
કવિતા ક્રાંતિ કરી શકે ? હા, આવી કવિતાઓ માણસની ઊંઘ ઉડાડી શકે…..
આજે કવિની પૂણ્યતિથીએ સ્મૃતિવંદના.
OP 25.6.22
***
આભાર
02-07-2022
આભાર છબીલભાઈ, દિપકભાઈ, મેવાડાજી, જિજ્ઞાબેન.
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર
સાજ મેવાડા
25-06-2022
આ કાવ્યમાં અભિવ્યક્ત વેદના ખૂબ જ હ્રદય ને હચમચાવી જાય એવી છે. સાંપ્રત સમયમાં પણ સાચું લાગે છે.
છબીલભાઈ ત્રિવેદી
25-06-2022
ખુબ સરસ રચના માણસ નુ ચેતાતંત્ર અટલુ નિષ્ઠુર થઇ ગયુ છે કે તેને કાંઈ અસર થતી નથી નિજી સ્વાર્થ માટે ગમે તે કરી શકે આભાર લતાબેન
Jigna Mehta
25-06-2022
Adbhut, kavi ne vandan
દીપક વાલેરા
25-06-2022
Great
