*ગીત*
કરું ફરિયાદ કોને હું?
કરું જ્યાં સ્નેહ સરવાળા,
થતી ત્યાં બાદબાકી (એ) શું?
નજરથી જ્યાં નજર મળતી,
ઢળે ત્યાં પાંપણો એ શું?
જઉં હું ચૂમવા ફુલને,
ખરે ત્યાં પાંખડી એ શું ?
ડુબાડે નાવ જ્યાં નાવિક,
ભુલાવે પથ પથિક એ શું?
ચખાડી પ્રેમ રસ કોઇ,
કરી પાગલ જતું એ શું?
~ બાલુભાઇ પટેલ
(25.9.1937 – 8.12.1992)
*મૃગજળ ઉપર*
આંખને વિશ્વાસ છે મૃગજળ ઉપર;
ત્યારથી જીવું છું દાવાનળ ઉપર.
એટલા માટે હું ભુલાઈ ગયો,
નામ તેં ટાંક્યું હતું ઝાકળ ઉપર.
સત્યને વિશ્વાસમાં લીધા વગર,
લોક જીવે છે ફક્ત અટકળ ઉપર.
એ ગયાં તે દીથી દરવાજો છે બંધ,
જાળાં પણ બાઝી ગયાં સાંકળ ઉપર.
શબ્દ ‘બાલુ’ આટલા મહેકે નહીં,
અશ્રુઓ ટપક્યાં હશે કાગળ ઉપર.
~ બાલુભાઈ પટેલ (25.9.1937 – 8.12.1992)
ખૂબ જ સરસ વિચાર, ગઝલો. વંદન
વાહ 👌👌
ખુબ સરસ સ્મ્રુતિવંદન
Wahh