રમણભાઈ બી. પટેલ ~  સૂરજના સાત અશ્વો * Ramanbhai B Patel

વિસ્તાર થઈ જવાનો


સૂરજના સાત અશ્વો રાતે રડી પડે છે
ક્યારેક ભરબપોરે અંધાર થઈ જવાનો.

અંધારમાં દિશાઓ ફંફોસતી હવાનો
આજે નહીં તો કાલે આકાર થઈ જવાનો.

જંગલની કેડીઓને આ શી ૨મત સૂઝી છે?
વેળા-કવેળા દરિયો ભેંકાર થઈ જવાનો.

વેળા વહી જશે તો શું થશે સમયનું?
ક્ષણ એક ઝંખનાનો વિસ્તાર થઈ જવાનો.

~ રમણભાઈ બી. પટેલ 19.8.1925 – 19.9.2001

કાવ્યસંગ્રહ ‘પ્રતીતિ’. છંદોબદ્ધ કાવ્યો સાથે ગીતો અને કાવ્યાનુવાદો પણ કર્યા છે.

કવિને જન્મદિને સ્મૃતિવંદના


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “રમણભાઈ બી. પટેલ ~  સૂરજના સાત અશ્વો * Ramanbhai B Patel”

Scroll to Top