રાકેશ હાંસલિયા ~ થેલીનું કેવું * Rakesh Hansaliya

થેલીનું કેવું રૂપાંતર થાય છે,
ચોપડી ભરવાથી દફતર થાય છે !

એક પડછાયો અહીં બેઠો રહ્યો
બાંકડાને આજ કળતર થાય છે !

શીખવા મળતું નથી સંસારમાં
માના ખોળામાં જે ભણતર થાય છે !

એક તાકાના જ છે સંતાન પણ
એક ખાપણ, એક ચાદર થાય છે !

અર્થ ત્યારે રાખ હોવાનો સરે
ક્યારીમાં નાખો તો ખાતર થાય છે

ખપ પડે છે વ્હાલના તોરણનો પણ
માત્ર વખરીથી જ ક્યાં ઘર થાય છે ? …… 

~ રાકેશ હાંસલિયા

જીવનના પાયારૂપ હકારાત્મક વાતો કલાકૃતિની જેમ અહીં રંગો સાથે ઊઘડે છે.

ગામડામાં થેલીના કેવા વિવિધ પ્રયોગો ! શાક લાવી શકાય, કરિયાણું લાવી શકાય અને બાળક એને જરા ખંખેરી, એમાં ચોપડીઓ ભરી દે તો એ દફતર પણ બની જાય ! એ જ કુટુંબ, એ જ શાળા, એ જ વ્યવસ્થા પણ રસ્તા જુદા પકડાય અને મંઝીલ બદલાઈ જાય છે. એ જ દફતર, એ જ તાકો અને એ જ વખરી પણ કેવું અલગ અલગ ભાવવિશ્વ સર્જે છે ! સળંગ ભાવસૂત્રમાં જરા ચીલો ચાતરતો છેલ્લો શેર સ્વતંત્ર રીતે સરસ થયો છે.

ખપ પડે છે વ્હાલના તોરણનો પણ ; માત્ર વખરીથી જ ક્યાં ઘર થાય છે ?

29.5.21

***

Sarla Sutaria

08-07-2021

માના ખોળામાં જે ભણતર થાય છે …
ખૂબ સુંદર ગઝલ ???

Dr. Ishita Dave

29-05-2021

Khub sundar gazal.

વિવેક ટેલર

29-05-2021

સરસ રચના…

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

28-05-2021

કવિ રાકેશ હાંસલીયા ની ગઝલ ખૂબ જ ગમી, વાહ!

મનોહર ત્રિવેદી

28-05-2021

રાકેશ,જયન્ત ડાંગોદરા જયેન્દ્રના ગીતનો સુરેશભાઈએ કરાવેલો આસ્વાદ,હસમુખ અબોટીનું સૉનેટ-આ બધું તમે પૂરી નિસબત અને ખાંખાખોળા કરીને મૂક્યું છે.
રસપૂર્વક વાંચું છું. સુકામનાઓ,બહેન લતાબહેન.

kishor Barot

28-05-2021

દરેક શૅર દમદાર ?
અભિનંદન, રાકેશભાઈ.

Varij Luhar

28-05-2021

વાહ રાકેશ.. સુક્ષ્મ નિરીક્ષણ..થેલીનું કેવું રૂપાંતર થાય છે?
આવા શિક્ષકો જેને મળે તે વિદ્યાર્થીઓ નસીબદાર ગણાય

Varij Luhar

28-05-2021

વાહ રાકેશ.. સુક્ષ્મ નિરીક્ષણ..થેલીનું કેવું રૂપાંતર થાય છે?
આવા શિક્ષકો જેને મળે તે વિદ્યાર્થીઓ નસીબદાર ગણાય

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “રાકેશ હાંસલિયા ~ થેલીનું કેવું * Rakesh Hansaliya”

Scroll to Top