ન કર
રહેશે એ જ વજન, એ જ વલણ, એ જ ચમક,
મનુષ્યને તું ત્રાજવામાં તોળતોળ ન કર
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું,
તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ! ન કર
બધી વસંત કાંઈ નમણી નથી હોતી, રમેશ
બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર !
કંઈક કષ્ટ છે એ વાત ગોળગોળ ન કર,
જે કહેવું હોય તે કહી નાખ, ચોળચોળ ન કર
છે સ્તબ્ધ સાંજ, તું બારી સમીપ ઊભો છે
સજળ છે આંખ ને હસવાનો આમ ડોળ ન કર
પીડા જો નગ્ન રહેશે તો કુદરતી રહેશે,
તું કોઈ વસ્ત્ર એને માટે ખોળખોળ ન કર !
~ રમેશપારેખ
કવિની આજે મૃત્યુતિથી. વંદન વંદન.

Pingback: પ્રિય મિત્રો, - Kavyavishva.com