કરસનદાસ માણેક ~ મને એ જ Karsandas Manek

મને એ જ સમજાતું નથી ~ કરસનદાસ માણેક

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !

ઘરહીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર :
ને ગગનચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે !

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના :
લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે !

કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !

~ કરસનદાસ માણેક

વિખ્યાત કવિ કરસનદાસ માણેકની આ લોકપ્રિય રચના એમની પુણ્યતિથિ નિમિત્તે સાદર વંદન સહ.

18.1.22

***

સાજ મેવાડા

18-01-2022

કવિશ્રીને વંદન, દરેક સમય આદી કાળથી કવિઓનૈ આવૌ પ્રશ્ન થયો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top