કવિ અશોક બાજપેઈ – શ્રદ્ધા રાવલ
અશોક બાજપેઈની કવિતાઓ સમગ્ર જીવનની કવિતાઓ છે. તેમની કવિતાઓ જીવનના પ્રશ્નોના જવાબ શોધતી હોય એવું છે. તે જીવનની અનુભૂતિઓને શબ્દ આપનાર કવિ છે. એ પોતાના સમયથી આગળ જઈ સમાજના એવા પ્રશ્નો સામે લાવે છે જે ભાવકોને વિસ્મિત કરે છે. તેમની કવિતા સાધારણ સામાજિક જીવનની જ કથા છે. તેમાં કોઈ રહસ્યવાદ નથી. તેમણે પ્રકૃતિથી લઈ મનુષ્ય,
