બળવંતરાય ઠાકોર
કવિએ કવિતા પ્રત્યે અખંડ નિષ્ઠા અને જાગૃતિ બતાવી છે, જેમાંથી એમણે પોતાની જાતનેય બાકાત નથી રાખી.
www.kavyavishva.com
કવિએ કવિતા પ્રત્યે અખંડ નિષ્ઠા અને જાગૃતિ બતાવી છે, જેમાંથી એમણે પોતાની જાતનેય બાકાત નથી રાખી.
www.kavyavishva.com
* ‘આંધળી માનો કાગળ’ની કહાણી * અને
* દેખતા દીકરાનો જવાબ *
www.kavyavishva.com
* ગુજરાતી શબ્દવિશ્વમાં લતા હિરાણીનું નામ સન્માન સાથે લેવાય છે. * www.kavyavishva.com
મોસમ સરસ છે, કોણ કહે છે સરસ નથી,પણ એનો શો ઈલાજ કે આજે તરસ નથી ! વસ્તીય હોવી જોઈએ થોડીક ઘર વિશે,ઘર વાસ્તે આ ચાર દીવાલો જ બસ નથી. મળવું અવશ્ય આપણે વિશ્વાસ છે મને,ખૂબ જ નિકટ છે, દૂર બહુ એ દિવસ નથી. પામી શક્યું છે કોણ ભલા દિલની ચાલને,પકડી શકાય હાથેથી આ એવી નસ
હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય–ધબકાર બાકી છે,ભલે થઈ વારતા પૂરી પરંતુ સાર બાકી છે. તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય–વીણા,તૂટેલા તાર માંહે પણ કંઈ ઝણકાર બાકી છે. ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,હજુ તો લોહીમાં મારા જીવન–ધબકાર બાકી છે. મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર
ના હિન્દુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા;કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા. સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યા,જો નીકળ્યા તો સાથ લઈ જાન નીકળ્યા. તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,મારાં કરમ કે અશ્રુઓ તોફાન નીકળ્યાં ! એ રંગ જેને જીવ સમા જાળવ્યા હતા,એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા. મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,કિન્તુ કરાર કલેશનાં
સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છે,ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાયે છે. યુવાનીમાં વિપંથે વૃત્તિઓ દોરાઈ જાયે છે,વિચારે લાખ કોઈ તોય ઠોકર ખાઈ જાયે છે. હૃદય આવેશમાં ક્યારેક ઉશ્કેરાઈ જાયે છે,અને ના બોલવાનું પણ કદી બોલાઈ જાયે છે. જીવન બદલે તો બદલે, પણ પ્રણયરંગો નહીં બદલે,હૃદય રંગાઈ જાયે છે તો બસ
દુ:ખ વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર,મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર. આંખથી આંખ લડી બેઠી કશી વાત વગર,કંઈ શરૂ આમ થઈ વાત શરૂઆત વગર. કોલ પાળે છે ઘણી વાર કબૂલાત વગર,એ મળી જાય છે રસ્તામાં મુલાકાત વગર. આ મજા કોણ ચખાડત મને આઘાત વગર ?તારલાઓ હું નિહાળું છું સદા રાત વગર. સાકિયા !
છે કાંઈ જિંદગીમાં, તો એ જ છે સહારો,એક યાદ છે તમારી, એક શ્વાસ છે અમારો. મારી જીવનવીણાના કંપી રહ્યા છે તારો,કોણ એ ભલા કરે છે ઉરદ્વારથી ઈશારો? મુજને ડુબાવનારા મારા જ છે વિચારો,ક્યાં દૂર છે નહીં તો ચોપાસ છે કિનારો. જખ્મોને દિલમાં રાખું કે અશ્રુઓને રાખું?મે’માન છે હજારો ને એક છે ઉતારો. દે તેજ ફાવે
કેમ ભૂલી ગયા? દટાયો છું,આ ઈમારતનો હુંય પાયો છું. હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું?અડધોપડધો જ ઓળખાયો છું. વિસ્તર્યા વિણ બધેય છાયો છું!હું અજબ રીતથી ઘવાયો છું! આમ તો એક બિન્દુ છું કિન્તુ,સપ્તસિન્ધુથી સંકળાયો છું! સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,ચન્દ્રની જેમ ચોડવાયો છું! વઢ નથી વિપ્ર, આ જનોઈનો,આમ હું આડેધડ કપાયો છું. રામ જાણે શું