કુમાર જૈમિની શાસ્ત્રી ~ મૌન છે
ધરતીય મૌન છે અને આકાશ મૌન છે દરિયો ભલે ને ઘૂઘવે, ખારાશ મૌન છે. હોવાનો અર્થ અન્યને સમજાવતો રહ્યો મારી હયાતીનો ખરો અહેસાસ મૌન છે. ઊભાં છે એક પગ ઉપર વર્ષો સુધી અડગ વૃક્ષોની સાધના તો સરેરાશ મૌન છે. પૂનમ અને અમાસમાં સ્થાપે છે સામ્યતા અંધાર મૌન છે અને અજવાસ મૌન છે. વાતાવરણની સ્તબ્ધતા સંભળાય
