નિસર્ગ આહીર ~ નદીકિનારે * Nisarg Ahir
નદીકિનારે પ્રાચીન મંદિર મંદિર છે એટલે આવે છે લોકો દર્શન કરે ઝટપટ જતાં રહે કેટલાંક કેટલાંક નદીને નીરખે ઘડીક કોઈનું ધ્યાન જાય ના નદી વચ્ચે પડેલા પથ્થર પર ને નજર જાય તો ટકે નહીં કેવળ પથ્થર જાણે છે કે નદીનું નદીત્વ એને જ કારણે છે કેવળ મંદિર જાણે છે કે મંદિરત્વ પથ્થરને કારણે જ છે
