મુક્તક : ઉમાશંકર જોશી * Umashankar Joshi
મુક્તક શબ્દમાંનો ‘મુક્ત’ એટલો ભાગ તો પરિચિત છે. મુક્ત એટલે છૂટું, બંધન વગરનું. મુક્ત-ક એટલે છૂટું કાવ્ય. કવિઓ લાંબાં કાવ્યો લખે તેમાં તો દરેકેદરેક શ્લોક આખી કૃતિની સાથે બંધાયેલો હોય, પણ ક્યરેક ક્યારેક તેઓ છૂટક શ્લોકો લખે તો તેવો દરેક શ્લોક મુક્તના નામથી ઓળખાતો. એક મુક્તકને બીજા મુક્તક સાથે કશો સંબંધ ન હોય. નહિ તો
