ઉમાશંકર જોશી – સમયની ચીસ * Umashankar Joshi
કાવ્ય, સમયની ચીસ શાશ્વતી અર્થે ?પ્રણય હ્રદયનો અર્ધ્ય અદયને તર્પે ? મૈત્રી, બિંદુ બે મથંત બનવા રેખા ?કર્મ, તિમિર-પટ પર વિદ્યુતલિપિરેખા ? સત્તા, આત્મવિશ્વાસ તણી હરરાજી ?કીર્તિ, કાળને મુખે થતી પતરાજી ? દયા, અધિકતા છુપાવતું અવગુંઠન ?ત્યાગ, વામ કરથી દક્ષિણને અર્પણ ? મુક્તિ, વળી નવતર બંધનની માયા ?સત્ , અંતે અંતરતમ પુરુષની છાયા ? ~
