નરસિંહ મહેતા ~ જળકમળ છાંડી જા ને * Narsinh Maheta

જળકમળ છાંડી જાને, બાળા! સ્વામી અમારો જાગશે;જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે. કહે રે બાળક! તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવિયો?નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો? ‘નથી નાગણ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;મથુરાનગરીમાં જુગટું રમતાં નાગનું શીશ હું હારિયો.’ ‘રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;તારી માતાએ કેટલા જન્મ્યા,

નરસિંહ મહેતા ~ વૈષ્ણવજન * Narsinh Maheta

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે. મોહ માયા વ્યાપે

નરસિંહ મહેતા ~ નીરખને ગગનમાં * Narsinh Maheta

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું’, ‘તે જ હું’ શબ્દ બોલે;શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કો નથી કૃષ્ણ તોલે. શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવ મહીં પંથ ભૂલી;જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવંન મૂળી. ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે;સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે,

Scroll to Top