ગંગાસતીના બીજાં પાંચ ભજનો

1.જીવ ને શિવની થઈ એકતા 2. એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ, 3. સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું 4. અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં 5. અચળ વચન કોઈ દિ’ ચળે નહિ ***** જીવ ને શિવની થઈ એકતા ને પછી કહેવું નથી રહ્યું કાંઈ રે, દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તે સમાઈ રહ્યો સુનની

હરિહર પ્રાણશંકર ભટ્ટ ~ એક જ દે ચિનગારી * Harihar Bhatt

એક જ દે ચિનગારી, મહાનલ !એક જ દે ચિનગારી. ચકમક  લોઢું  ઘસતાં ઘસતાંખરચી  જિંદગી સારી;જામગરીમાં તણખો ન પડ્યો,ન ફળી મહેનત મારી… મહાનલ.. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,સળગી  આભ અટારી;ના સળગી એક સગડી મારી,વાત વિપતની ભારી… મહાનલ.. ઠંડીમાં   મુજ   કાયા   થથરે,ખૂટી    ધીરજ   મારીવિશ્વાનલ ! હું અધિક ન માગું,માગું એક ચિનગારી… મહાનલ.. ~

Scroll to Top