રવિગાન
પાત્રમાંનું પાણી ચળકતું હોય છે ; સાગરના જળ શ્યામવરણાં હોય છે. નાના સત્યની વાણી સ્પષ્ટ હોય છે ; મહાન સત્યનું મૌન મહાન હોય છે. ** જે કાંઇ અલ્પ છે તે હું મારા પ્રિયજનો કાજે મૂકતો જાઉં છું – જે મોટું છે તે તો સૌ કોઈ માટે છે. ** ધરતીની અંદર મૂળિયાં ડાળીઓને ફળવંતી બનાવવા માટે
