રાકેશ હાંસલિયા ~ થેલીનું કેવું * Rakesh Hansaliya
થેલીનું કેવું રૂપાંતર થાય છે,ચોપડી ભરવાથી દફતર થાય છે ! એક પડછાયો અહીં બેઠો રહ્યોબાંકડાને આજ કળતર થાય છે ! શીખવા મળતું નથી સંસારમાંમાના ખોળામાં જે ભણતર થાય છે ! એક તાકાના જ છે સંતાન પણએક ખાપણ, એક ચાદર થાય છે ! અર્થ ત્યારે રાખ હોવાનો સરેક્યારીમાં નાખો તો ખાતર થાય છે ખપ પડે છે
