નરસિંહ મહેતા * Narsinh Maheta

જેહના ભાગમાં જે સામે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે  ….  કે પછી ‘જે ગમે જગત્ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો…   નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, એક હું એક હું તે જ બોલે….  નરસિંહ મહેતાને આપણે ‘આદ્યકવિ’ તરીકે જાણીએ છીએ. શું નરસિંહ કે શું મીરાં, જેમને આપણે ‘ભક્ત કવિ’ તરીકે ઓળખીએ

મનસુખલાલ ઝવેરી ~ ડો. દક્ષા વ્યાસ * Mansukhlal Zaveri * Dr. Daksha Vyas

મનસુખલાલ ઝવેરી : પ્રશિષ્ટ કાવ્ય નિર્માણ – ડો. દક્ષા વ્યાસ    મનસુખલાલ અને બેટાઈમાં જાણે પંડિતયુગનું અનુસંધાન જળવાયું હોય એવું લાગવાનું. ઉભય શિષ્ટ પ્રણાલિકાની સંયમશોભન કવિતાના સ્વસ્થ પ્રકૃતિના સર્જક છે. મનસુખલાલ ઝવેરી પાસે જે નોંધપાત્ર સર્જન મળ્યું છે તે પ્રશિષ્ટ  શૈલીના ‘ચંદ્રદૂત’ તથા ‘કુરુક્ષેત્ર’ વિષયક કાવ્યો છે. કવિનું છંદપ્રભુત્વ અને વર્ણનશક્તિ ઉભયનો ઉજ્જવળ અને એમાં વર્તાય છે. મેઘદૂતની

કવિ કાગ ~ અરવિંદ બારોટ

સાદી, સરળ અને જીવનલક્ષી કવિતા જ ચિરંજીવી નીવડી શકે છે. એટલે જ કાગબાપુની વાણી જનજનને સ્પર્શે છે. કોઈ એવી રાત નહીં હોય કે કાગવાણી ક્યાંક ને ક્યાંક ગૂંજતી નહીં હોય. કવિ કાગની વાણી ભીતરની ભેખડ ભેદીને પ્રગટેલી સરવાણી છે. નક્કર અનુભવવાણી છે. ધરતીનું ધાવણ પામીને ઉછરેલી વાણી છે એટલે જ એમાં સચ્ચાઈનો રણકો છે. એ

બરકત વિરાણી ‘બેફામ’ ~ પ્રતાપસિંહ ડાભી

ગઝલક્ષેત્રે અનુબાલ-કલાપી યુગમાં નરસિંહરાવ દિવેટીયા જેવા કડક વિવેચકના મુખેથી નીકળેલા આકરાં વેણનાં દંડથી ચુસ્તી તરફ આગળ વધેલી ગઝલે શયદાયુગના ઉત્તરભાગે જાણે કે એક મોટી ક્રાંતિ આણી. એમાં પણ ૧૯૪૩ માં શરૂ થયેલા  ‘મહાગુજરાત ગઝલ મંડળ’એ મુશાયરાઓના વ્યાપક ધમધમાટ થકી ગુજરાતના ગઝલચાહકો સામે, ગઝલકારોની મોટી ફોજ ખડી કરી દીધી. શયદાના નેતૃત્વ હેઠળ શૂન્ય, ગની, મરીઝ, બેફામ,

પુરુરાજ જોશી * Pururaj Joshi

કવિ પુરુરાજ જોશી જન્મ : 14  ડિસેમ્બર 1938, નડિયાદ માતા – સૂરજબા; પિતા- પૂનમભાઇ પત્ની – બકુલા ( લગ્ન – 1966, હિન્દીનાં અધ્યાપિકા) અવસાન : 12.12.2020 એમના સાહિત્ય સર્જનો અને સન્માનો   સાભાર : ગુજરાતી પ્રતિભા પરિચય OP 14.12.20

હરિવંશરાય બચ્ચન

પંડિત આનંદશંકર ધ્રુવ કહે છે, ‘કવિ આર્ષદૃષ્ટા છે, મંત્રદૃષ્ટા છે.’ ભલે આવા કવિઓ જૂજ હોય તો પણ સારા કવિઓમાં આ લક્ષણ ક્યારેક ક્યારેક પ્રગટતું રહેતું હોય છે. ક્યારેક ક્યારેક એની વાણીમાં સરસ્વતીદેવી પ્રગટતી હોય છે. ક્યારેક એ એવું સર્જન રજૂ કરી દેતો હોય છે કે ન માત્ર લોકહૈયે વસે પરંતુ અમર બની જાય… ગુજરાતી ભાષાના

પરવીન શાકીર ~ અશોક ચાવડા * Parvin Shakir * Ashok Chavda

કરાંચીમાં જન્મેલા શાયર પરવીન શાકિરનું માત્ર પાકિસ્તાનનાં ઇતિહાસમાં જ નહીં, પણ આધુનિક ઉર્દૂ સાહિત્યમાં મોખરાનું સ્થાન છે. પરવીન શાકિરનો સાહિત્ય-પ્રવેશ નિબંધલેખનથી થયો જે આગળ જતાં કવિતા અને કટારલેખન સુધી વિસ્તર્યો. શરૂઆતના ગાળામાં પરવીન શાકિર ‘બીના’ ઉપનામથી લખતાં. અહમદ નદીમ કાઝમી તેમનાં ઉસ્તાદ હતાં. પરવીને પોતાના સાહિત્ય પ્રવેશ વિશે એક મુલાકાતમાં એમ કહ્યું હતું કે ‘હું

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ * Kalapi

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ જન્મ : 26 જાન્યુઆરી 1874, લાઠી અવસાન : 9 જૂન 1900, લાઠી પરિચય : લાઠી, ગોહિલવાડ, સૌરાષ્ટ્રના રાજવી સર્જન : એમની સમગ્ર રચનાઓનો સંગ્રહ ‘કલાપીનો કેકારવ’નું કવિ કાન્તના હસ્તે મરણોત્તર પ્રકાશન થયું. એ પછી એમાંથી પસંદ કરેલા કાવ્યોનાં અનેક સંપાદનો પણ થયાં છે. કલાપીએ વર્ડઝવર્થ, શેલી, કીટ્સ વગેરેના કેટલાંક કાવ્યોનાં ભાવવાહી રૂપાંતરો ને અનુવાદો પણ કર્યા છે. એમનાં ઘણાં કાવ્યો એમના જીવનસંવેદન અને સંઘર્ષમાંથી નીપજેલાં છે. કલાપીનો જીવનસંઘર્ષ

ફૈઝ અહમદ ફૈઝ

ગુલોં મેં રંગ ભારે બાદ એ નૌ બહાર ચલે ; ચલે ભી આઓ કિ ગુલશન કા કારોબાર ચલે.  …. નિસાર મૈં તેરી ગલીયોં પે એ વતન કે જહાં ; ચાલી હૈ રસ્મ કિ કોઈ ના સર ઉઠાકે ચલે જો કોઈ ચાહને વાળા તવાફ કો નિક્લે ; નજર ચૂરા કે ચલે, જિસ્મ-ઓ-જાં બચા કે ચલે. આ છે ફૈઝ અહમદ ફૈઝ !

કવિ દાદ ~ અરવિંદ બારોટ

કાળજામાં વાગે છે ટેરવાં  ડિસેમ્બર 1969, સાહિત્ય પરિષદનું 25મું સંમેલન જૂનાગઢમાં મળેલું. આ સંમેલનમાં જયમલ પરમાર અને રતુભાઈ અદાણીના નેતૃત્વમાં લોકસાહિત્યના એક ત્રણેક કલાકના કાર્યક્રમનું આયોજન થયેલું. ઉમાશંકર જોશી, સુંદરમ્, હરિવલ્લભ ભાયાણી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, વિનોદ અધ્વર્યુ, ઉશનસ્, ગુલાબદાસ બ્રોકર, ઝીણાભાઈ દેસાઈ, સુરેશ જોષી, હીરાબહેન પાઠક જેવા ગુજરાતના મૂર્ધન્ય સાક્ષરોની સામે લોકવાણીના વાહકો રજૂ થયા. એમાં

Scroll to Top