સૂફી કવયિત્રી ઝેબુન્નિસા ~ સાંકળચંદ પટેલ

સંગીત સાહિત્ય અને નર્તનકલાના કટ્ટર વિરોધી અલમગીર ઔરંગઝેબે કલાઓનો જનાજો કઢાવેલો અને કહેલું : “એ બલાઓને એટલી ઊંડી દટાવી દેજો કે ભૂલેચૂકેય એનો અવાજ બહાર ન આવે.” પણ વિધાતાની વિચિત્રતાય જોવા જેવી છે. એના જ ઘરમાં, એની જ સૌથી મોટી પુત્રી સાહિત્યરસિક નીકળી અને ફારસી સાહિત્યમાં એનું નામ અમર થઈ ગયું. આ સાહિત્યરસિક શાહજાદી એ

પૂજાલાલ દલવાડી ~ દક્ષા વ્યાસ

પૂજાલાલ દલવાડી : અધ્યાત્મભાવી સાધકનું ભક્તિગાન   ઉન્મીલિત થા અંતર મારા ! દલ દલ નિર્મલ ખોલ   પરિમલ પ્રેમ તણો પ્રકટાવી અઢળક ઢળતો ઢોળ – પૂજાલાલ દલવાડી પૂજાલાલ ની કવિ પ્રતિભાનો પૂર્ણ ઉન્મેષ એમના પ્રથમ સંગ્રહ ‘પારિજાત’માં જ માણવા મળે છે. ‘પારિજાત’ના પૂજાલાલ બ.ક. ઠાકોરને માર્ગે જઈ સમર્થ રચનાઓ આપે છે અને આપણા સોનેટકારોમાં સ્થાન પામે છે. ‘પારિજાત’માં સુઘડ સોનેટ ઉપરાંત ગીત, મુક્તક, લાંબા વૃતાંત્મક અને ઉદબોધન

આદિ સૂફી કવયિત્રી લલ્લેશ્વરી – પ્રફુલ્લ પંડ્યા * Prafull Pandya * Lalleshwari  

કાશ્મીરના આદિ સૂફી કવયિત્રી લલ્લેશ્વરી – પ્રફુલ્લ પંડ્યા  લલ્લેશ્વરી, કાશ્મીરનાં આદિ કવયિત્રી અને કાશ્મીરીઓનાં ઘરઘરમાં આજે પણ ગૂંજે છે એવાં ઉત્કૃષ્ટ ‘વાખો’નાં રચિયતા. લલ્લેશ્વરીનો એટલો પ્રભાવ હતો કે મુસ્લિમ સંતો પણ પોતાને ઋષિ કહેવડાવતા. લલદયદ્ (લલ દાદી)પરમ શિવભક્ત હતા. શિવપ્રાપ્તિનાં માર્ગે ચાલતાં તેમને ખૂબ વેદના અને કષ્ટો સહન કરવા પડ્યાં છે. મારું સદભાગ્ય છે કે ડોગરી ઉર્દૂ અને હિન્દી

સર્જક પ્રફુલ્લ પંડ્યા * Prafull Pandya 

લક્ષ્ય ધર્યું છે કેસરિયાળું કેસર લખ લખ કરવુંસહજ સ્ફૂરણની દેરીમાં બેસીને મન મંતરવું. ચાલીસેક વર્ષથી વધુ સમય સુધી કાવ્યસાધના કરનાર આ કવિ પોતાના ઝંઝાવાતી જીવન અનુભવોને ચકિત કરી દે એવી પ્રયોગાત્મક કવિતામાં ઢાળે છે….. કવિ એમના સમગ્ર કવિતા સંચય ‘લયના ઝાંઝર વાગે’માં કહે છે કે ‘ધીમે ધીમે હું મૌન તરફ સરકી રહ્યો હોવાનું અનુભવું છું.’

પદ્મશ્રી કવિ હલધર નાગ

પદ્મશ્રી કવિ હલધર નાગ 1950ની 31 માર્ચે કવિ હલધર નાગનો જન્મ ઓડિશાના બારગઢના એક ગરીબ પરિવારમાં થયો હતો. દસ વર્ષની ઉંમરે પિતાનું મૃત્યુ થયું. પિતાના મૃત્યુ પછી ત્રીજા ધોરણથી અભ્યાસ અટકી ગયો. ધાબામાં એઠાં વાસણો સાફ કરીને એમણે ઘરનું ગુજરાન ચલાવ્યું. એ પછી શાળામાં રસોડાની દેખરેખનું કામ મળ્યું. કવિની પહેલી કવિતા “धोधो बारगाजी” (अर्थ : ‘पुराना

અખો : ફક્કડપણાનો અનોખો કવિ

અખો : ફક્કડપણાનો અનોખો કવિ અખો, મધ્યકાલીન સાહિત્યનો બુદ્ધિશાળી કવિ. એના છપ્પામાં કટાક્ષ ભારોભાર ભર્યો છે. સમાજની વિષમતાઓ અને ઢોંગ પર આખાએ જબરા પ્રહાર કર્યા છે. ધર્માંધતા સામે અખાનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. અખાની નિરીક્ષણક્ષમતા અદભૂત છે. અખાના કેટલાક છપ્પા તો કહેવતની જેમ વપરાય છે. જેમ કે એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ

કવિ રમેશ આચાર્ય * Ramesh Aacharya

કવિ શ્રી રમેશ  આચાર્ય સાવ સીધી રેખ જેવી જિંદગી,ક્યાંક થોડો ખાંચ લઈ બેઠા છીએ. ~ રમેશ આચાર્ય પાંચ પાંચ દાયકાઓથી કવિતાસર્જનમાં નિષ્ઠાપૂર્વક રમમાણ ઓલિયો કવિ! કવિ રમેશ આચાર્યના પિતાજી રવિશંકરભાઈ આચાર્ય પણ એક અચ્છા કવિ અને વાર્તાકથક, જેનો લીંબડીના રાજદરબારમાંય માનમોભો હતો. આમ એમને વિદ્યા અને સાહિત્યનો વારસો હતો. પિતાના મૃત્યુ પછી પણ ઘરનું સાહિત્યિક

સાંઇ મકરંદ દવે * Makarand Dave

સાંઇ મકરંદ દવે સાંઈ મકરંદ દવેની જન્મશતાબ્દીનું વર્ષ પૂરું થઈ રહ્યું છે. સ્વામી આનંદે એમને ‘સાંઈ’નું ઉપનામ આપેલું. કવિના કાવ્યોમાં સંતપરંપરાના સાહિત્યનો ભજનરસ, સહજસંવેદના અને સરળતાનો સમન્વય છે. ગરવા ગીતોમાં સૌરાષ્ટ્રના તળપદા શબ્દભંડોળથી એક મીઠાશ પ્રગટે છે. સાંઈની અનેક રચનાઓ ખૂબ લોકપ્રિય બની છે અને ગવાતી રહી છે. ‘ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ,

મીરાંબાઈ

કાલિંદી પરીખ – મીરાંબાઈનાં પદોમાં રહેલું કાવ્યત્વ મીરાં વિશે શું લખવું, મીરાં મારી તમારી આપણી સહુની એટલી બધી નજીક છે અને જે નજીક હોય તેના વિશે લખવું જ સહુથી કઠિન હોય છે. આમ છતાંય મીરાંની ઓળખ આપવી હોય તો પ્રેમદિવાની તરીકેની આપી શકાય. એક સમયની રાજરાણી સંસારના તમામ સુખ સાહ્યબી છોડી, હાથમાં તંબુર લઈ ગલીઓમાં

Scroll to Top