આ કવિ છે !
* મારા આકાશ સાથે તમે છેડછાડ કાં કરો ? *
www.kavyavishva.com
ગુજરાતી કવિતામાં આપણે નરસિંહ મહેતાને આદિ કવિ ગણીએ છીએ પણ એની એ પહેલાં લગભગ 200 વર્ષથી સાહિત્ય ક્ષેત્રે કામ શરૂ થઈ ગયું હતું અને શરૂઆત જૈન સાધુઓથી થઈ હતી એટલે જૈન સાધુઓ નરસિંહ મહેતાના પુરોગામી છે. વસંતવિલાસ નામનું સુંદર રસિક ફાગુ કાવ્ય જૈન સાહિત્યમાં મળે છે. જોવાની વાત એ છે કે અન્ય જૈન કૃતિઓની જેમ અહીંયા એટલે કે આ કાવ્યમાં ધર્મોપદેશ નથી પણ ઊછળતા ઉલ્લાસથી ભરપુર શૃંગારની છોળો છે. જૈન કવિઓ બારમાસી કે ફાગુ કાવ્યમાં શૃંગારનું આલેખન કરતા, એના સાધન તરીકે પ્રકૃતિનું વર્ણન કરતા અને છેવટે તેનું શમન તપ સંયમ અને સાધુ વ્રતમાં બતાવતા. આપણે જૈનેતર એટલે કે જૈન સિવાયના ગુજરાતી કવિની વાત કરીએ તો નોંધપાત્ર નામ કે જેને આપણે પહેલો ગુજરાતનો જૈનેતર કવિ ગણીએ એ છે અસાઈત.(ઇ.સ.1361 કે 1371) આ અસાઈતની વાત બહુ મજાની છે એ સિદ્ધપુરનો ઔદિચ્ય બ્રાહ્મણ હતા અને જુવાન વયમાં રસિક કથાકાર તરીકે ખ્યાતિ પામ્યા હતા. એકવાર ઊંઝાના વતની અને તેના શિષ્ય હેમાળા પટેલની પુત્રીને સુબેદારના માણસો ઉપાડી ગયા ત્યારે આ બ્રાહ્મણે હિંમત કરીને તેને પોતાની દીકરી તરીકે ઓળખાવી અને સુબા પાસે તેને છોડી દેવા માટે માગણી કરી.. સુબાએ શરત કરી કે કે જો તે કણબીની છોકરી જોડે એક ભાણે જમે તો પોતે તેને છોડે. અસાઈતે પાટીદાર કન્યા સાથે બેધડક એક ભાણે ભોજન કર્યું અને તેને છોડાવી. એને લીધે કાયમ માટે સિદ્ધપુરની ઔદિચ્ય જ્ઞાતિએ તેનો બહિષ્કાર કર્યો તે તેણે હસતે મુખે સહન કર્યો. ઊંઝાના પટેલોએ તેને જાગીર આપી એટલે એણે ઊંઝામાં વસવાટ કર્યો. તે બ્રાહ્મણજ્ઞાતિથી જુદો પડ્યો એટલે કથાકારનો ધંધો બંધ થયો. આ સંજોગોમાં અસાઈતે ભવાઈના વેશ લખીલખીને પોતાના ત્રણ પુત્રો સાથે ગામેગામ ફરીને ભજવવા માંડ્યા. આમ તેણે 360 વેશો લખ્યા એમ કહેવાય છે. તેના ત્રણ પુત્રોના ત્રણ ઘરનો પરિવાર ત્રિઘરા તરીકે ઓળખાયો. જેમાંથી તરઘરા અને તરગાળા રૂપાંતર થઈને ગુજરાતમાં ભવાઈ અને નાટક ભજવવાનો ધંધો કરનારી તરગાળાની જ્ઞાતિ ઉત્પન્ન થઈ. આમ અસાઈતનું નામ ગુજરાતના લોકનાટ્ય સાથે હંમેશને માટે જોડાઈ ગયું છે આ ઉપરાંત હંસ અને વચ્છ નામના બે રાજકુમારોના જુદા જુદા ભાવની લોકકથાઓને પણ તેણે હાસ્ય, કરુણ અને અદ્ભુત રસ થી છલકાતી હંસાઉલી નામની કાવ્યકૃતિમાં સફળપણે ઉતારી છે. આ પછી શ્રીધર વ્યાસનું ‘રણમલ્લછંદ’ (ઇ.સ.1399) મળી આવે છે. વીરરસનું આ કાવ્ય છે. લોકકથામાંથી બીજ લઈને ભીમે (ઇ.સ.1410) સદેવંત સાવળંગાના આઠ ભવની પ્રેમકહાણી સુણાવતું ‘સદયવસ્તચરીત’ રચ્યું. અબ્દુર રહેમાન નામના એક કવિએ અપભ્રંશની છાંટવાળું ‘સંદેશકરાસ’ (ઇ.સ.1420) નામનું મેઘદૂત શૈલીનું કાવ્ય લખ્યું છે. લતા હિરાણી સંદર્ભ : ગુજરાતી સાહિત્યની વિકાસરેખા – ધીરુભાઈ ઠાકર OP 13.9.22 ***** સુરેશ ‘ચંદ્ર’રાવલ * 14-09-2022 * આદરણીય લતાબેન…! ખૂબ સરસ માહિતી સભર લેખ છે…’કલાવિમર્શ ‘ સાથે સંકળાયેલો છું એટલે થોડીક માહિતી અસાઈત વિષેની મને હતી..પણ આપનાં લેખ દ્વારા વિશેષ જ્ઞાન મળ્યું….! ખૂબ ખૂબ આભાર…. અરવિંદભાઈ દવે, ગારિયાધાર. * 14-09-2022 લતાબેન,સાદર નમસ્કાર….અસાઇતની વાત ખૂબ અદ્દભુત છે….જુના કાળના દરેક વર્ણ રક્ષણને પોતાની જવાબદારી માનતા એનું સુંદર ઉદાહરણ છે….તરઘરા શબ્દ આજે જાણવા મળ્યો….સંસ્કારની વાતોને છેલ્લામાં છેલ્લી વ્યક્તિ સુધી પહોંચાડવા માટે એમની ભાષા, એમની રહેણીકરણીનાં થવું પડે તો જ એ ઉપાડે….એમાંથી જ ભવાઈ આવી….મને ખુશી એ વાતની થઈ કે આની શરૂઆત એક બ્રાહ્મણે કરી છે….કામ નાનું-મોટું નથી હોતું, પણ એનો હેતુ જ એને નાનું-મોટું બનાવે છે…લતાબેન, આવી સુંદર વાત મુકવા માટે અભિનંદન….ખૂબ ખૂબ આભાર….. ચંદ્રશેખર પંડ્યા * 13-09-2022 * સાવ અજાણી માહિતી. ધન્યવાદ લતાબેન! સાજ મેવાડા * 13-09-2022 * સરસ માહિતી, આવા વિરલાને વંદન. ઉમેશ જોષી * 13-09-2022 * અસાઇત વિશે રસપ્રદ માહિતી છે..અસાઇતની દિવ્ય ચેતનાને વંદન. છબીલભાઈ ત્રિવેદી * 13-09-2022 * અષાઈત ઠાકર વિશે ખુબજ રસપ્રદ માહિતી આપી અમારે પીટીસી મા ભાષા ૨ વિષય આને લગતો હતો હજુ આજે પણ ગામડા મા ભવાઈ મંડળ આવેછે અને પટેલો પાસે હક થી દક્ષિણા માગે છે અેક ઉજળી પરંપરા હજુ પણ અકબંધ છે આભાર લતાબેન
અસાઇત પહેલો ગુજરાતી કવિ * Lata Hirani Read More »
ડો. એચ.એલ.ત્રિવેદી (IKDRC) – ખૂબ વિખ્યાત નેફ્રોલોજિસ્ટ. કિડની રોગના નિષ્ણાત. કેનેડાની ધીકતી પ્રેક્ટીસ છોડી આપણા દેશના ગરીબ દર્દીઓ માટે એમણે ધૂણી ધખાવી, જીવન ન્યોચ્છાવર કરી દીધું. તેઓ MBBS થઈ ગયા પછી તેમને પરદેશ જઈને ઊંડો અભ્યાસ કરવાની તમન્ના હતી. પ્રતિભા અદભૂત પણ પરદેશ જવાના નાણાં ક્યાંથી કાઢવા? ગરીબ શિક્ષક પિતાના પુત્ર. અને પિતાએ એમને ડોક્ટર બનાવવા દેણાનો ડુંગર કરેલો. એ વખતે અમેરિકાએ મુંબઈમાં એક કેન્દ્ર રાખેલું જ્યાં ભારતીય ડોક્ટર્સનું સ્તર ચકાસવા એક પરીક્ષા લેવાતી, ECFMG. એનું ધોરણ ખૂબ ઊંચું. એમાં ઓછામાં ઓછા 75% આવે તો જ અમેરિકા જવા મળે. ડો. ત્રિવેદીએ આ પરીક્ષા 96% ગુણે પાસ કરી પણ એ પછીયે નાણાંનો પ્રશ્ન જડબું ફાડીને ઊભો હતો. એમણે અમેરિકાની અલગ અલગ તબીબી સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. જેમાં પોતાના પરિણામ વિશે તથા પૈસાના અભાવ વિશે જણાવ્યું અને મદદ માંગી. આ પત્રમાં પોતાની માહિતી સાથે એમણે લખ્યું હતું કે “મારા દેશના મહાન કવિવર નોબલપ્રાઇઝવિજેતા કવિ ગુરુદેવ ટાગોરે એક કાવ્યમાં લખ્યું છે, ‘વ્હેર ધ માઇન્ડ ઈઝ વિધાઉટ ફીઅર, એન્ડ ધ હેડ ઈઝ હેલ્ડ હાઈ – વ્હેર નોલેજ ઈઝ ફ્રી – વ્હેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન ઇન્ટુ સેગમેન્ટ્સ બાય નીરો ડોમેસ્ટીક વોલ્સ – માય ફાધર, લેટ માય કન્ટ્રી બી અવેક.’ હું પણ તમને આવી જ પ્રાર્થના કરું છું……….” ત્રણ મહિના પછી અમેરિકાના ક્લીવલેન્ડની વિશ્વવિખ્યાત લેઈક્વૂડ હોસ્પિટલના ડીનનો પત્ર આવ્યો, “ડિયર ડો. ત્રિવેદી……. તમારા માર્ક્સ અમારું દિમાગ ચકરાવી ગયા……. તમે ટાગોરની પંક્તિઓ ટાંકી છે, વ્હાલા મિત્ર, ટાગોર માત્ર તમારા કવિ ન હતા, એ તો પૂરા વિશ્વના કવિ હતા. કવિનો શબ્દ ક્યારેય ખોટો પડી શકે નહીં. અમારા દેશમાં તમારું લાગણીસભર સ્વાગત છે. પૈસાની ચિંતા કરશો નહીં……… (ટિકિટ અને બધી સગવડ અમે કરીશું) સ્ટાઇપેન્ડ લેખે મહિને……. આશા છે આટલી રકમ તમને ઓછી નહીં લાગે.” અને ગુરુદેવ ટાગોર તથા કાવ્યના મહિમાથી દિલ રોમાંચિત થઈ ઊઠ્યું. ‘એકલો જાને રે…. – શરદ ઠાકર (પુસ્તકમાંથી સાભાર) OP 14.10.22 *** છબીલભાઈ ત્રિવેદી 14-10-2022 ત્રિવેદી સાહેબ અેક ઋષિ તુલ્ય મહામાનવ હતા મને ખુબજ નજીક થી મળવા નો અવસર મળેલો હતો મારા ભાણેજ ના કિડની ટ્રાન્સપ્લાન્ટ વખતે હુ અમદાવાદ બે મહિના રહ્યો હતો મુરબ્બી માધવ રામાનુજ પણ ત્યાં માનદ સેવા આપતા હતા આવા મહા માનવ ને શત શત પ્રણામ આભાર લતાબેન સાજ મેવાડા 14-10-2022 “અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.” ત્રિવેદી સાહબના પવિત્ર આત્માને વંદન.
इस पद का अर्थ बताओ ! चार मिले चौंसठ खिले, बीस रहे कर जोड़! प्रेमी सज्जन दो मिले, खिल गए सात करोड़!! इस पद का अर्थ जानते हो ? …. चार मिले – मतलब जब भी कोई मिलता है, तो सबसे पहले आपस में दोनों की आंखें मिलती हैं, इसलिए कहा, चार मिले ! फिर कहा, चौसठ खिले – यानि दोनों के बत्तीस-बत्तीस दांत – कुल मिलाकर चौंसठ हो गए, इस तरह “चार मिले, चौंसठ खिले” हुआ!” “बीस रहे कर जोड़” – दोनों हाथों की दस उंगलियां – दोनों व्यक्तियों की 20 हुईं – बीसों मिलकर ही एक-दूसरे को प्रणाम की मुद्रा में हाथ बरबस उठ ही जाते हैं!” “प्रेमी सज्जन दो मिले” – जब दो आत्मीय जन मिलें – यह बड़े रहस्य की बात है – क्योंकि मिलने वालों में आत्मीयता नहीं हुई तो “न बीस रहे कर जोड़” होगा और न “चौंसठ खिलेंगे” उन्होंने आगे कहा, “वैसे तो शरीर में रोम की गिनती करना असम्भव है, लेकिन मोटा-मोटा साढ़े तीन करोड़ बताते हैं, बताने वाले ! तो कवि का अंतिम रहस्य – “प्रेमी सज्जन दो मिले – खिल गए सात करोड़!” तो कवि ने अंतिम पंक्ति में पूरा रस निचोड़ दिया – “खिल गए सात करोड़” यानि हमारा रोम-रोम खिल जाता है!” है न सुंदर बात !
इस पद का अर्थ बताओ ! Read More »
શૂન્ય વિશેષ ~ કોઈ હોના તો ચાહીએ !
શૂન્ય વિશેષ ~ કોઈ હોના તો ચાહીએ ! Read More »
હું કવિ કેમ બન્યો ? – ઉદયન ઠક્કર
હું કવિ કેમ બન્યો ? – ઉદયન ઠક્કર * Udayan Thakkar Read More »