સુધારાયુગમાં સ્થપાયેલાં અર્વાચીનયુગ માટેનાં માઈલસ્ટોન
- 1845 : દલપતરામનું પ્રથમ કાવ્ય ‘બાપાની પીપર’ પ્રગટ થયું.
- 1848 : 28 વર્ષની ઉંમરે દલપતરામનું મિલન ભોળાનાથ સારાભાઈ દ્વારા એલેક્ઝાંડર ફોર્બ્સ સાથે થયું.અને પછી તેમની જ સહાયથી ફોર્બસે તા.26-12-1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી.
- 1850 : ‘મંડળી મળવાથી થતા લાભ’ નિબંધ નર્મદે રજૂ કર્યો.
- 1850 : ‘બુદ્ધિપ્રકાશ’ સામયિકનું નામકરણ થયું.
- 1852 : કવિ-પત્રકાર કરસનદાસ મૂળજી એકલે હાથે લડીને ‘મહારાજ લાયબલ કેસ’ જીત્યા.
- 1854 : ફાર્બસ સાહેબની સ્મૃતિમાં ‘ ફાર્બસ ગુજરાતી સભા’ની સ્થાપના.
- 1854 : નર્મદ બુદ્ધિવર્ધક સભામાં જોડાય છે (ને ’58માં મંત્રી પણ બને છે ). ત્યાં તેની કવિતાને ‘સુધારાના બાઈબલ’ તરીકે ઓળખાવાય છે.
- 1857 : રાજકીય બળવો અને દેશનાં ત્રણ શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના.
- 1858 : નર્મદની આકરી પ્રતિજ્ઞા : ‘કલમ, હવે તારે ખોળે છઉં’ કહીને કલમને ખોળે માથું મૂક્યું અને એ જ વર્ષે ‘નર્મકવિતા ભાગ-1,2,3 તથા ‘પિંગળ પ્રવેશ’નું પ્રકાશન.
- 1860 : મહીપતરામ નીલકંઠનું પરદેશગમન જેણે સુધારાને અને આનુષંગિક સાહિત્યને બળ આપ્યું.
- 1862 : ‘દલપત પિંગળ’નું પ્રકાશન.
- 1864 : પ્રેમચન્દ રાયચંદ ટ્રૈનીંગ કોલેજ અમદાવાદમાં શરૂ, જેના મુખપત્ર ‘ગુજરાત શાળા પત્ર’માં તંત્રી નવલરામે વિવેચનો આપવાં શરૂ કર્યાં.
- 1864 : નર્મદે એનું અતિ પ્રસિદ્ધ સામયિક ‘ડાંડિયો’ શરૂ કર્યું.
- 1866 : નંદશંકર કૃત ગુજરાતની સૌ પ્રથમ નવલકથા ‘કરણઘેલો’ ; નર્મદની આત્મકથા ‘મારી હકીકત’ ; મહીપતરામની સામાજિક નવલકથા ‘સાસુવહુની લડાઈ’ ; કરસનદાસ મૂળજીનો (ગુજ.નો પ્રથમ) ‘ પ્રવાસગ્રંથ ‘ ; ગુજ.ની પ્રથમ કરુણાંતિકા, રણછોડભાઈ ઉ. દવે કૃત ‘લલિતા દુ:ખ દર્શન નાટક’ વગેરેનાં પ્રકાશનો. આ વર્ષે થયાં.
- 1870 : આપણું પ્રથમ હાસ્યપ્રધાન નાટક, દલપતરામનું ‘મિથ્યાભિમાન’ પ્રગટ થયું.
- 1876 : ગુજરાતનું પ્રથમ ઇતિહાસલેખન નર્મદનું ‘ધર્મવિચાર’ પ્રગટ થયું.
- 1880 : ઈચ્છારામ સૂ.દેસાઈએ મુંબઈથી ‘ગુજરાતી’ સાપ્તાહિક શરૂ કર્યું
- 1885 : મહિલાઓ માટેનું સામયિક ‘સ્ત્રી બોધ’ મુંબઈથી તથા મણિલાલ નભુભાઈ દ્વારા ‘પ્રિયવંદા’ શરૂ થયાં.
- 1886 : વીર નર્મદનું અવસાન અને અર્વાચીન સાહિત્યના પ્રથમ તબક્કા ‘સુધારકયુગ’ની પૂર્ણાહૂતિ.
સાભાર * મુખ્ય આધાર વિ.ક. વૈદ્યનું ‘ ગુજરાતી સાહિત્યની રૂપરેખા’ અને શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટનું અર્વા.ગુજ.સહિત્યનો ઇતિહાસ’
OP 9.10.2020
**********
સાજ મેવાડા
29-05-2022
‘સેતુ’ અંતર્ગત આપે સંચિત કરેલી બધીજ પોષ્ટ ગઈ કાલે વાંચી. જ્ઞાન, માહિતીનો ખજાનો છો.
આભાર આપનો
15-09-2021
આભાર આપનો છબીલભાઈ.
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌનો આભાર.
લતા હિરાણી
છબીલભાઈ ત્રિવેદી
09-09-2021
ખૂબ સરસ મજાની માહિતી આપી ધન્યવાદ આભાર લતાબેન
છબીલભાઈ ત્રિવેદી
11-06-2021
સુધારા યુગ,,,, ખુબ ખુબ ઉપયોગી માહિતી આજનુ વિજય રાજયગુરૂ નુ કાવ્ય ઘર ઢાળા ખુબજ સરસ દેશી ગ્રામ્ય ગીરા અને અેવાજ ઉતક્રુષ્ટ ભાવો ખુબજસરસ મજાનું કાવ્યખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન