રમેશ આચાર્ય ~ હું અંધારાના પ્રેમમાં છું * Ramesh Aacharya
www.kavyavishva.com
કવિ શ્રી રમેશ આચાર્ય સાવ સીધી રેખ જેવી જિંદગી,ક્યાંક થોડો ખાંચ લઈ બેઠા છીએ. ~ રમેશ આચાર્ય પાંચ પાંચ દાયકાઓથી કવિતાસર્જનમાં નિષ્ઠાપૂર્વક રમમાણ ઓલિયો કવિ! કવિ રમેશ આચાર્યના પિતાજી રવિશંકરભાઈ આચાર્ય પણ એક અચ્છા કવિ અને વાર્તાકથક, જેનો લીંબડીના રાજદરબારમાંય માનમોભો હતો. આમ એમને વિદ્યા અને સાહિત્યનો વારસો હતો. પિતાના મૃત્યુ પછી પણ ઘરનું સાહિત્યિક
અધિક માસની પૂનમનો ચાંદ ~ રમેશ આચાર્ય રાહ જોવરાવે,બહુ રાહ જોવરાવે,પૂનમનો આ તેરમો ચાંદ,ત્રણ વરસ સુધી. તેની પણ છે મજા.આપણે વાવેલા બીની કૂંપળ ફૂટી કે નહિતેની રાહ જોયા કરવા જેવી છે આ આખી પ્રક્રિયા.ચોખાના લોટના ઠંડા ખીચાનાલોંદા જેવો પૂનમનો તેરમો ચાંદવરસના ક્યા માસમાં જોવા મળશેતે નક્કી નહીં. આપણે તારીખિયાનાંકે પંચાંગના પાના ફેરવ્યા કરીએતે ક્યારે જોવા મળશે તે
મારા ગામની નદી મારા ગામની નદીની વાત ન થાય.છતાં જો કહેવી હોય તોએમ કહેવાય કેમારા ગામની નદીમારી નાની બહેન મુન્નીનામાથામાં નાખવાની બૉપટ્ટી જેવી છે. અથવામારા ગામની નદીમારા મામાને ઘેર મારી માલાપસીમાં વાઢીથી ચોખ્ખું ઘી રેડતીતેના ચાલતા રેલા જેવી છે. અથવાનાનાં બાળકને મોઢું આવ્યું હોયત્યારે તેનાં મોઢામાં પાડવામાં આવતીબકરીના દૂધની શેડ્સ જેવી છે. અથવામારા ગામની નદીમારી
પાછલી રાતેજોઉં તો : આદિવાસીકન્યાની છાતી શી ટેકરીઓ તાકે રાની પશુની આંખ. ~ રમેશ આચાર્ય આપણી કવિતાની વાત હોય કે જગતકવિતાની પણ એથિક્સ અને એસ્થેટિક કાયમ સંધર્ષમાં રહ્યા છે. જગતની વ્યવહારું સભ્યતાએ કાયમ એથિક્સના જ પક્ષમાં રહીને એવું કહ્યું છે કે, ભલે એ સર્જકોનો ઉન્મેષ હોય પરંતુ એથી એને જનસમાજના ઠેરવેલા આદર્શોને ભસ્મીભૂત કરવાનો જરા પણ